વિજયનગર

તાલુકો

વિજયનગર

જિલ્લો

સાબરકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

84

વસ્તી

97,817

ફોન કોડ

02775

પીન કોડ

383460

વિજયનગર તાલુકાના ગામડા

અભાપુર, અદેપુર, અજેપુર, અમોદરા, આંદરોખા, અંટારી, આંતરસુંબા, બદારખણ, બાલેટા, બાંધણા, ભગોરપાડા, ભાંભુડી, ભાંખરા, ભાટેલા, ભુપતગઢ, બિલાડીયા, બોગાપાડા, ચામથાણ, ચાંદવાસા, ચીકણો, ચિતરીયા, ચિથોડા, ચિત્રોડી, દઢવાવ, દાગલા, દંતોડ, ધોળીવાવ, ગડી, ગરાડા, ગોધવાડા, ગોલવાડા, ઇટાવાડી, જાળેટી, જામણીયા, જોરાવરનગર, જુસાવાડા, કલવણ, કણાદર, કંથારીયા, કંથરોટી, કઠવાવડી, કેલાવા, કેળવા, ખારીબેડી, ખારોલ, ખેડાસણ, ખેરવાડા, ખોખરા, કોદિયાવાડા, કુંડાળા, લાડીવાડા, લક્ષ્મણપુરા, લીમદા, માસોટા, માતાલી, મોંધરી, મોવટપુરા, નાળશેરી, નવાભાગા, નવાગામ, નવાઘરા, નવાખોળા, નેળાઉ, પડેલા, પાલ, પરવઠ, પીપળોટી, પૃથ્વીપુરા, રાજપુર, સામૈયા, સારોલી, સરસાવ, તીતરાણ, તોલ ડુંગરી, ઉખલા ડુંગરી, વજેપુર, વણાજ, વાંઢોલ, વાંકડા, વસાઇ, વિજયનગર, વીરેશ્વર, વીરપુર, ઝેર
Vijaynagar

વિજયનગર તાલુકાનો ઇતિહાસ

વિજયનગર તાલુકાના પોળો ખાતે અનુમૈત્રક સમયના બંધાયેલા જૈન મંદિરો આવેલાં છે.

વિજયનગર તાલુકામાં હરણાવ નદીના કિનારે હિન્દુ અને જૈન ધર્મના ઐતિહાસિક સ્મારકો આવેલા છે. જે અંદાજે પાંચસો થી હજાર વર્ષ જૂના છે.

– વિજયનગર તાલુકાના અભાપુર ગામે (આ જંગલનો થોડો હિસ્સો ખેડબ્રહ્મા તાલુકામાં પણ આવેલ છે.) હરણવાવ નદીના કિનારે 400 ચો. કિ.મી.થી વધારે વિસ્તારમાં ફેલાયેલું પોલો ફોરેસ્ટ આવેલું છે. અહીં દર વર્ષે ગુજરાત સરકાર પોલો ફેસ્ટિવલ ઉજવે છે.

પોળો કેમ્પ સાઈટને ઈકો ટુરિઝમ સાઈટ તરીકે વિકસાવવામાં

આવી છે. પોળોના જંગલોમાં શરણેશ્વર મહાદેવનું મંદિર,

રકત ચામુંડા, લાખેણાંનાં દેરાં, સદેવંત સાવળિંગાના દેરાં,

અભાપુરનું શિવ-શકિત મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

ત્રણ ભગ્ન જૈન મંદિરો પોળોના જંગલમાં આવેલા છે. લાખેણા

જૈન મંદિરથી ઓળખાતા આ ત્રણ જૈન મંદિરો પશ્ચિમાભિમુખ

छे.

– આ ઉપરાંત આંતરસુબા ખાતે આવેલા પ્રાચીન જૈન મંદિરો, શકિત મંદિર, શિવ મંદિર તથા શિવ પંચાયતન મંદિરો જાણીતા છે.

– વિજયનગર તાલુકાના કાલવણ ગામમાં વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળે ઉબળાના ઝાડના મૂળિયામાંથી પાણી વહે છે. ઉપરાંત નરસિંહ ભગવાનનું મંદિર જોવાલાયક छे.

-> મહોમદ ઘોરીની પાટણ ચડાઈ વખતે અભાપુરમાં આવેલ પ્રખ્યાત સૂર્યમંદિર તેમણે તોડી પાડયું હતું.

2017માં 68મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન પાલદઢ વાવના શહિદોની યાદમાં ‘વિરાંજલી’ વનની સ્થાપના કરવામાં આવી.

વિજયનગર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વિજયનગર

1