ચોર્યાસી
Table of Contents
Toggleચોર્યાસી તાલુકા વિશે
તાલુકો
ચોર્યાસી
જિલ્લો
સુરત
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
68
વસ્તી
86,225
ફોન કોડ
0261
પીન કોડ
394510
ચોર્યાસી તાલુકાના ગામડા

ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ
ચોર્યાસી તાલુકાનું મુખ્ય મથક સુરત છે.
– ચોર્યાસી તાલુકામાં આવેલું ડુમસ દરિયા કિનારાના વિહાર ધામ તરીકે પ્રખ્યાત છે.
– રાજગીરી ગામે આવેલો ટોમ કોરીયેટનો મકબરો ચોર્યાસી તાલુકાનું જાણીતું ફરવાલાયક સ્થળ છે.
– ચોર્યાસી તાલુકામાં આવેલું હજીરા બંદર જહાજવાડા અને બંદરીય સગવડો માટે જાણીતા છે.
– લિકિક્વફાઈડ નેચરલ ગેસનું ટર્મિનલ (LNG) ચોર્યાસી તાલુકાના હજીરા બંદરે આવેલું છે.
– ક્રિષક ભારતી કો-ઓપરેટિવ. લિ. ક્રિભકો એશિયાનું સૌથી મોટામાં મોટું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. ઉપરાંત ESSAR કંપનીના લોખંડનું કારખાનું, L&T, રિલાયન્સ, ભારતનું પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્નનું કારખાનું જેવા મોટા પાયાના ઉદ્યોગો આવેલા છે.
–
સુરત ખાતે આવેલ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા હજીરા બંદર ઉપર વેપારી જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટ ગાર્ડના જહાજો બનાવવામાં આવે છે.
– તાજેતરમાં 8 નવેમ્બર, 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર સુધી રો-પેકસ ફેરી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો અને નવનિર્મિત રો-રો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવાથી સૌરાષ્ટ્ર જવા માટે 10 થી 12 કલાકની માર્ગ મુસાફરી આ રો-પેકસ ફેરી દ્વારા ફકત 4 કલાકની થઈ જશે ઉપરાંત ઘોઘા-હજીરા વચ્ચેનું અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું થઈ જશે.
ચોર્યાસી તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
ચોર્યાસી
1