અમરેલી સીટી
Table of Contents
Toggleઅમરેલી સીટી વિશે
તાલુકો
અમરેલી સીટી
જિલ્લો
અમરેલી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
71
વસ્તી
1,46,014
ફોન કોડ
02792
પીન કોડ
365601
અમરેલી સીટીના ગામડા

અમરેલી સીટી વિશે માહિતી
અમરેલીમાંથી ઈ.સ. પૂર્વે 3000ના સમયના પુરાતત્વીય
અવશેષો પ્રાપ્ત થયાં છે.
– પ્રસિદ્ધ ગીતો અને ભજનોના રચનાકાર અને ઈ.સ. 1768માં અમરેલીમાં આશ્રમ સ્થાપનાર સંત મૂળદાસનો જન્મ ગીરગઢડા તાલુકાના અમોદરા ગામે થયો હતો. સંત મૂળદાસની સમાધિ અમરેલીમાં આવેલી છે.
– ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાનું જન્મસ્થળ અમરેલી છે. તેઓ ઈ.સ.1971માં પાંચમી લોકસભામાં અમરેલી લોકસભા પ૨થી ચૂંટાયા હતાં.
– 19 માર્ચ 1893ના રોજ ગાયકવાડ શાસન દરમિયાન સયાજીરાવ ત્રીજાએ ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ ફરમાવતો કાયદો અમલમાં મૂકયો. તેના ભાગરૂપે સૌપ્રથમ પ્રયોગ અમરેલીના દસ ગામોમાં કરવામાં આવ્યો હતો. જેમાં
1. કસ્બે અમરેલી 2. ઈશ્વરીયા 3. ભૂતિયા 4. સાંગાડેરી 5. વરૂડી 6. થોરડી 7. મોટા ભંડારિયા 8. ગાવડકા 9. ફતેહપુરા 10. વિઠ્ઠલપુરનો સમાવેશ થતો હતો.
આ પ્રયોગ સફળ રહેતા સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલી બનાવવાના હેતુથી ઈ.સ. 1906- 07માં ફરજિયાત કેળવણીનો કાયદો પસાર કરવામાં આવ્યો. જે અનુસાર દીકરાઓ માટે અભ્યાસ માટે 7 થી 12 વર્ષની વય અને દીકરીઓ માટે 7 થી 10 વર્ષની વય નક્કી કરવામાં આવી.
– ચાબખાં માટે જાણીતા ભોજા ભગત (સંતશ્રી જલારામ બાપાના ગુરુ)નું ભોજલ ધામ અમરેલીના ફતેહપુર ખાતે આવેલું છે.
– કાઠી ભરત તથા મોચી ભરત અમરેલી જિલ્લાના જાણીતા ભરતકામ છે.
અમરેલી સીટીમાં જોવાલાયક સ્થળો
- 1
અમરેલી સીટીમાં આવેલ લોકપ્રિય ભોજન
- 1