લાઠી
Table of Contents
Toggleલાઠી તાલુકા વિશે
તાલુકો
લાઠી
જિલ્લો
અમરેલી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
50
વસ્તી
1,32,914
ફોન કોડ
02793
પીન કોડ
365430
લાઠી તાલુકાના ગામડા

લાઠી તાલુકા વિશે માહિતી
કાઠી ભરત
કવિ
કલાપી
(સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)ની કર્મભૂમિ અને જન્મભૂમિ. કવિ કલાપી કચ્છની રોહા જાગીરના જમાઈ હતા. કવિ કલાપીના પૂર્વજોએ લાઠીમાં ચાવંડ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. ‘ન્યારા રાહના કવિ’ માત્ર 26 વર્ષની ઉમરે ‘સુરતાની વાડીનો મીઠો મોરલો’ હૃદયના દર્દની અને અલગારી કવિતા કરતો આથમી ગયો.
કવિ કલાપી
– આ સુરસિંહજીને પ્રતાપસિંહ અને જોરાવરસિંહ નામના બે પુત્રો હતાં. તે બંને સાહિત્ય તરફ રુચિ ધરાવતા હતાં. પિતાનું સાહિત્ય પ્રસિદ્ધ કરાવવાનો શ્રેય બંનેને જાય છે.
– કલાપીના પત્ની રાજબા પણ કવિતાઓ રચતા હતાં. પ્રતાપસિંહજીના પુત્ર અને કલાપીના પૌત્ર તથા લાઠીના અંતિમ શાસક ‘પ્રહ્લાદસિંહજી’એ ‘રાજહંસ’ ઉપનામથી લેખો-કાવ્યો લખ્યા હતા અને લેખનની પરંપરા યથાવત રાખી હતી.
– કવિ કલાપીના ભત્રીજા મંગળસિંહજીની વિશિષ્ટ પીંછી દ્વારા ચીતરાયેલા ચિત્રો ચાંવડ ખાતે આવેલા છે.
食 કવિ કલાપીના મિત્ર મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાંત)ની જન્મભૂમિ ચાવંડ લાઠી તાલુકામાં આવેલું છે.
લાઠી ખાતે રાજમહેલ(રંગમહેલ) આવેલો છે. અહીં, ગાયકવાડના સૂબા વિઠ્ઠલરાવ દેવાજી નિવાસ કરતા હતા તથા કવિ કલાપીનો સાહિત્ય દરબાર અહીં ભરાતો હતો.
લાઠી તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
લાઠી તાલુકામાં પ્રખ્યાત
- 1